સાવરકુંડલાના વતની અને મુંબઈ સ્થિત યુવા ટ્રસ્ટી અમિત કે. મગીયા દ્વારા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પરિસરમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના માધ્યમથી છેલ્લા 12 વર્ષથી નિઃશુલ્ક આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે. આ સમયગાળામાં 24 લાખ લોકોની એક પણ પૈસા લીધા વિના સારવાર કરવામાં આવી છે.
આ ઉત્કૃષ્ટ સેવા બદલ અમરેલીમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત સમારોહમાં 14 ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમિત મગીયાનું શાલ ઓઢાડી અને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
લાખો લોકોને નિઃશુલ્ક સારવારનો લાભ પહોંચાડવા બદલ અમિત મગીયાની સેવાભાવનાને રાજ્ય સરકાર દ્વારા બિરદાવવામાં આવી હતી.








