રામમંદિર ચઢાવા ચોરી કેસમાં ચંપતરાય-અનિલ મિશ્રાને ક્લીનચીટ

અયોધ્યાના રામમંદિર ચઢાવા ચોરી વિવાદમાં ચંપતરાય અને અનિલ મિશ્રાને મોટી રાહત મળી છે. યોગી સરકાર દ્વારા રચાયેલી SITએ અંતિમ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે, જેમાં બંનેના નામ સામેલ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ચઢાવા ચોરીનો મામલો સામે આવ્યા બાદ બંનેની ભૂમિકા અંગે સવાલો ઉઠ્યા હતા. જોકે SITની તપાસમાં બંને સામે કોઈ ભૂમિકા ન હોવાનું સામે આવ્યું છે. કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા 8 આરોપીઓનાં નામ રિપોર્ટમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્યની ફરિયાદના આધારે FIR નોંધાઈ હતી. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી SITની તપાસ હજુ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

Leave a Comment

और पढ़ें