‘રસ્તાના બે કટકા’.. બારડોલીમાં લોકાર્પણ પહેલાં જ નવો બ્રિજ ધોવાયો, વિકાસના દાવા પર સવાલ

સુરત જિલ્લાના બારડોલીમાં લોકાર્પણ પૂર્વે જ નવો બ્રિજ ધોવાઈ જતાં વિકાસના દાવાઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ભારે વરસાદમાં પુલના એપ્રોચ રોડને નુકસાન થતાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના નિર્માણના આક્ષેપો થયા છે.

રાજ્યમાં વરસી રહેલા ધોધમાર વરસાદે માત્ર જનજીવન જ નહીં, પરંતુ માળખાકીય વિકાસના દાવાઓની પણ કસોટી કરી છે. સુરત જિલ્લાના બારડોલી અને અમરેઠમાં વરસાદ બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે, તેણે નવા બ્રિજ, રસ્તાઓ અને તેમના નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. એક તરફ 74 કરોડના ખર્ચે બનેલો બ્રિજ લોકાર્પણ પહેલાં જ ધોવાઈ ગયો, તો બીજી તરફ ડાયવર્ઝન માર્ગ પણ ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો છે.

Leave a Comment

और पढ़ें