દિલ્હીમાં સ્વાતંત્ર્ય દિને વંદે માતરમના ગાનને લઈને ઊભેલો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ગોવામાં કોંગ્રેસની રેલીમાં ફરી આ મુદ્દે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં વંદે માતરમના માત્ર પ્રારંભિક બે અંતરા ગાવામાં આવ્યા હતા.
ગોવા ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર રાષ્ટ્રીય ગીતના અનાદરનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા દાજી કૃષ્ણ સાલકરે કહ્યું કે કોંગ્રેસે 1937ના ફોર્મેટ મુજબ વંદે માતરમને ટૂંકાવી દીધું હતું અને હવે પણ એ જ પદ્ધતિ અપનાવી રહી છે. તેમણે કોંગ્રેસ પાસે માફીની માંગ કરી છે.
આ અગાઉ 15 ઓગસ્ટે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે વંદે માતરમના ગાનને લઈને ભાજપ અને સીપીએમએ પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાજપે કોંગ્રેસ નેતાઓ પર વંદે માતરમના અપમાનનો આરોપ લગાવ્યો હતો.
ભાજપનો દાવો છે કે પૂર્ણ વંદે માતરમ ગાવાની પરંપરા તેણે શરૂ કરી હતી, જ્યારે કોંગ્રેસે 1937માં તેને ધર્મનિરપેક્ષ ન હોવાના કારણસર ટૂંકું કર્યું હતું. હવે ગોવાની ઘટનાને લઈને આ મુદ્દે રાજકીય વિવાદ ફરી ગરમાયો છે.








