ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ ટ્રેન વ્યવહાર ખોરવાયો, ત્રણ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ

અમદાવાદ: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મુંબઈ રેલવે ડિવિઝનના ઉદવાડા-પારડી વચ્ચે રેલવે ટ્રેકની બાજુની માટી ધસી પડતાં અમદાવાદ-મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરક્ષાના ભાગરૂપે ત્રણ ટ્રેનોને ગંતવ્ય સુધી પહોંચાડવાના બદલે વચ્ચે જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

રેલવે દ્વારા ટ્રેન નં. 12934 અમદાવાદ-બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ સુધી, 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારી સુધી અને 20908 ભુજ-દાદર સયાજીનગરી એક્સપ્રેસને સુરત સુધી જ દોડાવવામાં આવી હતી.

ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાસ્થળે રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટ્રેક સુરક્ષિત બનતા જ ટ્રેન સેવા પૂર્વવત્ કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें