ચંબાના તીસા-બૈરાગઢ માર્ગ પર અકસ્માત, અનેક મુસાફરો ઘાયલ
ચંબા: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આજે સવારે મુસાફરોથી ભરેલી ખાનગી બસ પલટી જતાં 8 લોકોનાં મોત થયા છે અને અનેક મુસાફરો ઘાયલ થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, તીસા-બૈરાગઢ માર્ગ પર ચાલૂજ વળાંક નજીક બૈરાગઢથી ચંબા તરફ જઈ રહેલી બસ અકસ્માતનો ભોગ બની હતી. બસમાં આશરે 20થી 25 મુસાફરો સવાર હતા.
અકસ્માત બાદ સ્થાનિક લોકો સાથે પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ચંબાના SP વિજય સકલાનીએ 8 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.









